શાળામાં આવનાર દરેક બાળક પાસે એક વિશિષ્ટ પ્રતિભા રહેલી હોય છે. જરૂર છે તેની આ પ્રતિભાને બહાર કાઢવાની. આપણે ત્યાં કેળવણી માટે એવું પણ કહેવાયું છે કે ‘બાળક્ની અંદર રહેલી સુષુપ્ત શકિતને બહાર કાઢવી એનું નામ કેળવણી’. બાળકની પ્રતિભા બીજની માવજત કરવી તેને સંવર્ધિત કરવી એ જ શાળાનું ધ્યેય છે .